તા 27 જાન્યુઆરી ના રોજ ફાતિમા હાઇસ્કુલ, ગોઠડા ની રજત જયંતી ઉજવાઈ ગઈ . 25 સાલ પહેલા જેસુઈટ ફાધર પરેઝાએ આ હાઇસ્કુલ શરુ કરી હતી. ઉજવણીમાં 97 વરસની વયના ફાધર પરેઝા પણ હાજર રહ્યા હતા. આ શાળા ચોપાસનાં નાના નાના ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ કુટુંબોના સંતાનોને ભણાવે છે ને તેમના જીવનમાં સુખ અને આનંદ પ્રસરે છે. ખાસ કરીને તો કિશોરીઓને ભણાવીને તેમનામાં સ્વમાન પેદા કરે છે. અહી કિશોરો ને કિશોરીઓ માટે છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જીસસ એન્ડ મેરી સંઘના સીસ્ટરો કિશોરીઓના છાત્રાલયનું સંચાલન કરે છે. ગોઠડા ગરીબ વિસ્તારમાં આવી સારી શાળા સાચેજ આશીર્વાદ સમી છે. ઉજવણીમાં સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા અને આનંદ માણયો હતો. ફાધર દુઆર્ત હાઇસ્કુલના આચાર્ય છે. રિશ્તા સંસ્થા પ્રતિ વર્ષ શાળામાં પત્રકારત્વની તાલીમ આપે છે આજે ખાસ આમંત્રણને માન આપી ફાધર વિલિયમ તથા હસમુખભાઈ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
સુપ્રસિદ્ધ સાપ્તાહિક “નવક્રાન્તિ” અને “ગરવી નવક્રાન્તિ” ના મુદ્રક, પ્રકાશક, માલિક અને તંત્રી શ્રી. રોબિન ધોળકીયાને થોડા દિવસ પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર ના નિદાન દરમ્યાન ખબર પડી કે એમના હ્રદયનો એક વાલ્વ બરાબર કામ કરતો નથી. ડૉક્ટરની ચિકિત્સા બાદ એમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓએ હમણાં પોતાની રોજિંદી કાર્યવાહી સ્થગિત કરી દીધી છે અને અત્યારે પોતાના નિવસસ્થાને આરામ કરી રહ્યા છે.
સાપ્તાહિકના સૌ વાચક-મિત્રો અને આ વેબસાઈટના મુલાકાતીઓને વિનંતી કે તેઓ શ્રી. રોબિનભાઈના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે. આભાર!
પરમપિતા પરમેશ્વર શ્રી. રોબિનભાઈને જલ્દી સાજા ભલા કરી દે એવી વિનંતી પ્રભુબાપ સાંભળો અને સ્વીકાર કરો. આમીન.