Category Archives: Community Events

“CHARISMARIC BIBLE CONVENTION” November 15 to 18, 2012 in Anand.

Please make a note in your calendar and make all necessary attempts to participate in the four day “CHARISMARIC BIBLE CONVENTION” to be held at Gamdi-Anand parish from 15th November to 18th November. As you are aware that lot of efforts, preparations and funds are needed to make a successful event. So please open your heart and open your pockets too and send your donation to cover the cost of this event to:

 

Catholic Church Anand, Catholic Church, Gamdi-Anand 388001 GujaratIndia.

 

Please find below the announcement and an appeal from the organizers and please visit again for additional announcement of this event.  

 

“We, the people of Gamdi Parish are glad to announce that there is a four day “CHARISMATIC BIBLE CONVENSION” which will be held at Gamdi-Anand Parish from the 15th of November to the 18th of November 2012. (Both days inclusive) The time will be from 9 am to 5 pm. We expect about 6,000 congregation everyday. Fr. Anil Dev and his team from VARANASI will be the preachers. The Gamdi-Anand Parish has been given the responsibility to be the host as there is a bigger congregation at Gamdi Parish. Bishop Thomas Macwan also wishes that the Convention is held this year this year is declared by the Holy See as the YEAR OF FAITH.
This means that we will also incur a lot of expenditure. We need financial support not only from the local Parish but from Christians from all around. Many people have already come forward to help us but it is drop by drop only can become an ocean. Those who want to help for this good cause can send their cheques in favour of CATHOLIC CHURCH ANAND. Address: Catholic Church, Gamdi Anand 388 001. Gujarat.India.”
Thank you for your support & cooperation.
Fr. Albert SJ
Parish Priest
and
Fr. Maxim Crasta Sj
Gamdi Anand

શિક્ષક અને શિક્ષા એક શિશુ માંથી સંપૂર્ણ સજ્જન/સન્નારી સર્જે છે.

શિક્ષક અને શિક્ષા એક શિશુ માંથી સંપૂર્ણ સજ્જન/સન્નારી સર્જે છે. આજે શિક્ષક-દિન નિમિત્તે દુનિયાભર ના દરેક શિક્ષક ને વંદન અને વિનંતી કે દરેક પોતાનો શિક્ષક-ધર્મ ઈમાનદારી થી અદા કરે.

સપ્ટેમ્બર ૦૫, ૨૦૧૨ 

નોકરીએ તેમને વર્ષો પહેલાં જ નિવૃત્ત કરી દીધાં પરંતુ તેઓ થોડા અટકવાના હતા. બમણા જોશથી, સવારથી રાત સુધી માત્ર એક જ વાત, ભણાવવું. ચહેરા પર કરચલીઓ, દ્રષ્ટિમાં ઝાંખપ, હાથ કાંપતા હોવા છતાં ભણાવવાનું ઝુનૂન તેમનામાં સતત વધતું જ જાય છે. દરરોજ તાજગીભર્યો ચહેરો, અવાજમાં એક સખતાઈ, સમયની એવી જ પાબંદી. શરીરમાં ઊર્જા પણ એવી કે ૨૦-૨૫ વર્ષનો યુવાન તેમની સામે ઝાંખો પડી જાય…
 
૮૬ વર્ષની વયે ઉકેલી રહ્યા છે ન્યુમેરિકલ્સ
 
– નામ: ફાધર સી ડિબ્રાવર
-વિષય: ફિઝિકસ
-ઉંમર: ૮૬ વર્ષ
 
– વિશેષતા:ફેસબુક અને ઓરકુટ પર ડિબ્રાવર ફેન્સ ક્લબ બનાવી છે. તેમના ફોલોઅર્સની મોટી સંખ્યા જ દર્શાવે છે કે તેઓ કેટલા લોકપ્રિય છે.
 
– અડધી સદી લાઈબ્રેરીમાં
 
રાંચી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ રાંચીના પ્રોફેસર ફાધર સી.ડિબ્રાવરનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. બાળપણ બેલ્જિયમમાં વિત્યું. બાળપણથી પરિવારમાં પ્રોફેશનલ્સ વધારે હતા પરંતુ પોતે નામ-ખ્યાતિથી દૂર રહ્યા. ૧૯૪૫માં ભારત આવ્યા. તિરુચિરાપલ્લી અને પુણેમાં અભ્યાસ બાદ ૧૯૫૭માં રાંચીમાં ફિઝિકસના શિક્ષણ તરીકે જોડાયા. ૧૯૮૪માં નિવૃત્ત થવા છતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવે છે. આજે પણ વોકેશનલ સ્ટ્રીમનમા હેડ તરીકે કામ કરે છે. ૫૦ વર્ષ સુધી તેઓ કોલેજના લાઈબ્રેરિયન પણ રહ્યા હતા.
 
– અત્યારે અટકવું નથી
 
ફાધર જણાવે છે કે શરીર સાથ આપશે ત્યાં સુધી શિક્ષણના માધ્યમથી ઈશ્વરની આરાધના કરતો રહ્યો છું. જ્યારે બાળકોને કોયડા ઉકેલું છું ત્યારે ઘણો સંતોષ મળે છે.
 
સિદ્ધિ:ફાધર ડિબ્રાવર ઉંમરના આ પડાવમાં કોઈ વ્યક્તિ નહીં પરંતુ સંસ્થા બની ગયા છે. પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ એક્સ આઈએએસની ગવર્નિંગ બોડીના સભ્ય હોવા ઉપરાંત શહેરની મોટી સંસ્થાઓમાં તેમને માનદ પદ પણ મળ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે તેમણે એક વિશેષ ભંડોળ ઊભું કર્યું છે. તેની મદદથી સેંકડો વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બની ચૂક્યા છે. – રિપોટિંગ : અમરકાંત, ફોટો : સૈયદ રમીઝ
 
– પ્રશ્ન કરો : તેઓ વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને સંતોષ થાય ત્યાં સુધી શીખવે છે. આથી જ વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય છે.

 

 અંગુલિનિર્દેશ: ફાધર વિલિયમ.
This page printed from: http://www.divyabhaskar.co.in/article/NAT-teachers-day-sepcial-old-teacher-sperit-for-teac-3740368.html

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા વિષય પર પરિસંવાદ – ઓગસ્ટ ૨૬, ૨૦૧૨

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા
 
કિશોરાવસ્થામાંથી જ પોતાના જીવનમાં સંસ્કારો અને સદગુણોનું સિંચન થાય તો વ્યક્તિનું સમગ્ર જીવન સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા અને પરોપકારથી મઘમઘતું બની રહે છે. આ બાબતને લક્ષ્યમાં લઈને તા. ૨૬ ઓગસ્ટના રોજ “આશાદીપ” સંચાલિત ‘અંકુર’ કાર્યક્રમનાં કિશોર-કિશોરીઓ તથા આશાદીપ સંલગ્ન અન્ય યુવક-યુવતિઓ માટે ગાંધી વિચારધારા વિષયે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્યલેખક તથા કેળવણીકાર, સદભાવના ફોરમના સભ્ય અને ફાધર વિલિયમના સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ બોરીસાગરે લગભગ એક કલાક સુધી ગાંધીના જીવનમાંથી ચૂંટીને, વીણીને વિવિધ પ્રેરણાત્મક પ્રસંગોનું તેમની લાક્ષણીક શૈલીમાં વર્ણન કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. પ્રવચન બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં પૃચ્છકોએ ગાંધીજી અંગેની કેટલીક માન્યતાઓ બાબતે સ્પષ્ટતા કરી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ અંકુરીયાંઓ માટે માત્ર રસપ્રદ નહિ, બહુ જ હિતકારક નીવડ્યો હતો. અંકુરના સંયોજક મેહુલ ડાભીએ વક્તાશ્રીનો આભાર માની આશાદીપમાં પુન: પધારી યુવાવર્ગને સાત્વિક વિચારોની લહાણી કરવા અપેક્ષા રજૂ કરી હતી.
સમાચાર/પિક્ચર: “આશાદીપ”

સિસ્વા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવાની પરવાનગી મેળવતી મહિલાઓ

સસ્તા અનાજની દુકાન ચલાવવા પાછળનો સરકારનો હેતુ ગરીબોને ખાવા માટે જરૂરી અનાજ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવો છે. પરંતુ જેમ બધી સરકારી યોજનાઓમાં ભષ્ટાચાર ચાલે છે તેમ આ યોજના પણ ભ્રષ્ટાચારના ભરડાથી બાકાત નથી. અમુક લોકો પૈસા આપીને સરકાર પાસેથી આ દુકાનો ચલાવવાના પરવાના મેળવી લે છે તથા ભ્રષ્ટાચાર કરીને અઢળક નાણાં કમાઈ લે છે. અને આવા લોકો અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી દે છે અને સરકારના શુભ હેતુને નાકામિયાબ બનાવી દે છે.
 
સરકારના આ શુભ હેતુને અમલમાં મૂકવા એટલે કે ગરીબોને ખાવા માટે અનાજ મળી રહે એ માટે “આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર” સંચાલીત મહિલા સશક્તિ જુથે સંકલ્પ કર્યો અને બોરસદ તાલુકાના સિસ્વા ગામની બહેનોએ આ કાર્ય હાથ ધર્યું. પ્રથમ તેઓ મામલતદાર પાસે ત્યારબાદ પુરવઠા અધિકારી પાસે જઈને રજૂઆત કરી પણ કાંઈ વળ્યું નહીં. વિરોધીઓ તથા સ્થાપિત હિતોએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બધા જ ઉપાયો અજમાવ્યા. છેવટે મહિલાઓએ કલેક્ટર પાસેથી પરવાનગી મેળવી લીધી. સમગ્ર પ્રક્રિયામાં રેગીનાબેન, શારદાબેન તથા પાર્વતિબેને ઘણી જહેમત ઊઠવી હતી. બે મહિનાની લડત તથા સખત મહેનતનું છેવટે સુફળ પ્રાપ્તથયું એ સહુને આનંદ થયો છે. આ અનુભવે સહુને લાગ્યું છે કે ગરીબોનાં હિતમાં લડીએ તો ચોક્કસ તેનું પરિણામ હકારાત્મક આવે છે.
 
પ્રસ્તુત અભિયાન તથા મહિલાઓની આ લડતમાં સીસ્ટર સરોજ એલ.ડી. નુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સીસ્ટર સરોજ, કો-ઓર્ડીનેટર તરીકે “આશાદીપ” દ્વારા ચાલતી જાગૃતિ પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય છે ને એવા કાર્યક્રમો યોજતાં હોય છે.
સમાચાર-પિક્ચર:  “રિશ્તા”        

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો – ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન ઓગષ્ટ ૨૫, ૨૦૧૨

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો

ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન

 

 

‘વિશ્વગામ’ યુવાપ્રવૃત્તિનાં પ્રણેતા સંજય-તુલા દંપતિની પ્રેરણાથી તેમના સાથીઓ દ્વારા ગાંધીનગરથી વિસનગર રોડ પર આવેલ ગોઝારીઆ કોલેજની સોએક જેટલી કોલેજિયનો તથા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ માટે બે દિવસની યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શિબિરમાં સર્વધર્મ સમભાવ વિષયે ચર્ચા-સંવાદ રાખાવામાં આવેલો જેમાં હિંદુ-ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મ વિશે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ વિશ્વગામ યુવાપ્રવૃત્તિઓના સબળ ટેકેદાર તથા નજદીકના સાથી તથા ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા પ્રસરે ને પ્રગટે એ હેતુસર શરૂ કરેલ ઝુંબેશ સદભાવના ફોરમની ટીમના સભ્ય છે. સંજયભાઈ તથા શિબિરના આયોજકોએ તેમને બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો વિષયે શિબિરાર્થીઓને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું . સંબોધન બાદ શિબિરાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ખિસ્તી ધર્મ તથા ખ્રિસ્તીઓ વિષે સાચી માહિતી મેળવીને એમના ક્ષતિયુક્ત ખ્યાલો ને માન્યતાઓ દૂર કરી હતી. ઈસુના ઉપદેશમાં અને એટલે ખિસ્તી ધર્મમાં માનવબંધુ-પ્રેમ એ તેની બુનિયાદ છે અને ઈશ્વરના ઘરે જવા કે પહોંચવાનો રસ્તો ડારેક્ટ એક્ષપ્રેસ વે નથી પરંતુ એ વાયા વાયા મારા પડોશીના ઘરે થઈને જતા લોકલ રોડ છે તે સત્ય ફાધર વિલિયમે વારંવાર પુનરૂચ્ચારણ કરીને શ્રોતાઓના મનમાં ઠસાવ્યું હતું. વળી ‘તમે મારા શિષ્યો (અનુયાયી) છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો’ ભગવાન ઈસુના શબ્દો ટાંકીને ખિસ્તીઓની એક માત્ર સાચી ઓળખ વિષે સમજણ આપી હતી.
ઉપસ્થિત કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો તથા અન્ય ગ્રામજનોએ આજના પ્રવચનને ઘણું ઉપયોગી ને હિતકારક ગણાવ્યું હતું અને એ વિસ્તારની અન્ય શાળાઓમાં ભણતા વિધાર્થીઓ તથા યુવાજૂથોને માટે આ પ્રવચન આપવા આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગની યાદમાં ફાધર વિલિયમને કેટલાંક સારાં પુસ્તકોની ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.