Tag Archives: Joseph Parmar

Today we are celebrating my mom’s 10th Heaveniversary – May 31, 2021.

Today we are celebrating my mom’s 10th Heaveniversary – May 31, 2021.

Its ten years today when on May 31, 2011 our mummy, Late Mrs. Sushila Joseph Parmar went heavenly abode. We are free to select our friends, our spouse but not our parents or siblings. Blood relations are created by God only and not by human. Only God has a control on those relations and only he decides the worldly length of that relation. My mom lived her life of 78 years and 6 months with blessing of God. Her right side of body was paralyzed after she suffered a stroke in 1995. But she accepted that challenge and was able to walk with cane and was doing most of her daily routine on her own.

We cannot write enough for our mom, the sacrifices, nursing and care, love, teaching and so many things. We all have heard a phrase that “God cannot be everywhere so he created MOM”.

We are five brother and sisters have created a small tribute to dedicate to our mom on her 10th Heaveniversary, song written and sung by her children.

Jagadish Christian
Minaxi Sharma
Nilaxi Jakaria
Ketan Christian
Kalpesh Christian

કેલિફોર્નિયા ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો – ઇમિગ્રેશન નિતિના ઊંડા અભ્યાસી શ્રી. જોસેફભાઈ પરમારે સમજણ આપી.

કેલિફોર્નિયા ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો – ઇમિગ્રેશન નિતિના ઊંડા અભ્યાસી શ્રી. જોસેફભાઈ પરમારે સમજણ આપી.

Prarthna Jukebox | Kirtan Sagar Bhajans By Ketan Christian Premieres Jan 6, 2021.

Prarthna Jukebox | Kirtan Sagar Bhajans By Ketan Christian Premieres Jan 6, 2021.

All Glory and Praises to Lord Jesus Christ for this dream to come true that started almost 25 years ago! As a family we have always enjoyed singing Church hymns-bhajans in our native, the beautiful language Gujarati! My father Mr. Joseph Beda Parmar lead the Church choir in my younger days and my elder brother Jagadish Christian followed his footsteps. I have been a huge fan of Motabhai Jagadish’s melodious voice.

While leaving in Jersey City, NJ, we met Mr. Michael Scribe, a musical Maestro who has traveled many parts of the world with various orchestras in his younger days. His musical abilities prompted me to this dream of having an album composed by Mr. Scribe and sung by Mr. Jagadish Christian. Well, somehow this dream stayed undercover and finally we are here with different singers!

આપની સમક્ષ પ્રભુ પિતાની આરાધના માટે “કીર્તનસાગર”માંથી ચૂંટેલા આ આઠ ભજનોનું ‘વેબ આલ્બમ’ “પ્રાર્થના” રજુ કરતાં ઘણો આનંદ થાય છે. આપણને “પવિત્ર બાઇબલ” નાં વચનો દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાર્ગે “બાઇબલ”નો ઉપયોગ જીવનને પ્રેરણા આપે છે. જ્યારે ભક્તિમાર્ગે આપણને પ્રભુનો અનુભવ થાય છે. બાઇબલનાં જ વચનો, જે ભજનો સ્વરૂપે “કીર્તનસાગર”માં પ્રકાશિત થયેલાં છે તે ભજનો, ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન ધરાવે છે.

મારા પૂજ્ય પિતાજી જોસેફ બેડા પરમાર દ્વારા પસંદ કરાયેલા આ આઠ ભક્તિગીતો, જે પ્રભુ પિતાની પ્રેરણા થકી અમારી, એટલે કે કેતન અને ઈલાની મધ્યસ્થીના ફળ સ્વરૂપ, આજથી લગભગ પચ્ચીસેક વરસો પહેલાં અમેરિકા સ્થિત માનનીય માઈકલ સ્ક્રાઈબ દ્વારા મનભાવન રાગોમાં ઢાળવામાં આવ્યાં હતા અને ગુર્જરભુમિના જ સંગીતકાર શ્રી શૈલેષ એલ. મેકવાન તથા શ્રી બ્રિજેશ આર. પરમારના સંગીત સંયોજન દ્વારા ભક્તિમય બનાવાયા છે. ગુજરાતી શ્રધ્ધાળુઓના કંઠે ગવાય અને તે દ્વારા પ્રભુનો મહિમા થાય, એ હેતુથી તૈયાર થયેલ આ ભક્તિગીતોના સંપુટને ગુજરાતી ભક્તોની આગળ પ્રસ્તુત કરતાં અનહદ આનંદ અને ગૌરવ થાય છે.

આ પ્રકારનાં ભક્તિગીતોને ગાનારાંઓમાં ગજબની શક્તિનો સંચાર થાય છે! આ ગાયકો, સંગીતકારો તથા સ્વરકારો પ્રભુમય બનીને પોતાના જીવનમાં પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થયાનો અહેસાસ મેળવે છે. ઘરે ઘરે આ ભજનો ગવાશે અને આ ગીતોમાંથી જીવન જીવવાનું અમૂલ્ય ભાથું મળી રહેશે તેવી અપેક્ષા અને પ્રભુ પ્રાર્થના!

Songs List

0. ધર્માધ્યક્ષ નો સંદેશો – 00:00

૧. અમને પ્રાર્થના કરતાં શીખવો – 03:38

૨. જેવી રે ભોંય એવું પાકે – 12:36

૩.એક ગાલ પર તમાચો – 18:03

૪. શું રે ખાશું, પીશું, ઓઢશું, એની ચિતા રે અપાર – 23:29

૫. તમે કરો ઉપકાર પ્રભુનો મેળવવાને પ્યાર. – 28:08 ૬. પ્હાડ ઉપર પયગંબર બેઠા – 33:03

૭. હું છું ઉત્તમ ઘેટાંપાળક – 37:48

૮. શાસ્ત્રી પૂછે ખ્રિસ્તને – 42:26

Music Credits – Composer – Michael Scribe Music & Arrangments – Shailesh L Macwan & Brijesh R Parmar

Singers – Mukesh Macwan, Nilesh Vaghela, Prakash Hingu, Roshni Macwan & Vrajesh Parekh

Chorus – Linsi S Macwan & Uma Dave

Studio – Soor Sagar (Valetva, Petlad)

Mixed By – Piush Parekh

Video Credits – DESIGNED by Priscilla Macwan, Presymec Studio  https://presymec.com/

Sketch Artist/After Effects – Mukesh Patel Asst Sketch Artist – Urvesh Parmar

Special Thanks to Shane Macwan

All Glory and Praise to Lord Jesus Christ. Special thanks to The Most Reverend, Athanasius Rethna Swamy, the fifth Catholic Bishop of Ahmedabad Diocese, Gujarat, India for his Blessings and well wishes. Many thanks to Shailesh L. Macwan for being my “TWIN”, my hands and feet in India and working tirelessly day and night, countless hours at times, during these difficult times of COVID-19. I am so thankful for helping me to make my dream of 25+ years come true! Many thanks to my loving dad Mr. Joseph Beda Parmar whose love for God, family, music and community has been my role model throughout my life. I want to thank my brother Jagadish Christian whose melodious voice, love and knowledge of music has always inspired me throughout my life. And lastly, I am very thankful to my wife Ila, daughters Christine, Stephanie and Sydney along with all other family members and friends for their loving support.

With Love, Ketan & Ila Christian

My uncle Mr. Ignasbhai Bedabhai Parmar passed away on April 25, 2020

My uncle Mr. Ignasbhai Bedabhai Parmar passed away on April 25, 2020.

મારા પપ્પા સાથે તેઓ પાંચ ભાઈ-બહેન પણ સૌથી મોટા ભાઈ શ્રી.. સેવરિનભાઈ બહુ નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા. એ જમાનામાં તેઓ પોસ્ટમાસ્ટર હતા. મારા પપ્પા પછી મારા ફોઈ શ્રી. રેગીનાબેન જેઓ પણ સ્વર્ગે સિધાયા. એમના પછી મારા રમણકાકા (શ્રી. જોન બેડા પરમાર) અને સૌથી નાના મારા ઇગ્નાસકાકા.

હું જ્યારે પાંચેક વર્ષનો હોઈશ ત્યારે મારાં મમ્મી-પપ્પા ઓડમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા ત્યારે ઇગ્નાસકાકાની શિક્ષક તરીકે ઓડમાં જ નિમણૂંક થઈ એટલે એમની સાથે મારો સારો ઘરોબો રહ્યો. ૧૯૮૫ માં અમે બધા અમેરિકા સ્થાયી થયા પછી તેઓ ૧૯૯૧- ૧૯૯૨ માં અમેરિકાની મૂલાકાતે આવેલા અને ઘણા આનંદમાં થોડા મહિનાઓ એમની સાથે ગુજારેલા.

ગુજરાતની દર મૂલાકાત વખતે કરમસદની મૂલાકાત તો અચૂક હોય જ અને બધાં સાથે મળી પુષ્કળ આનંદ મેળવતા. ૨૦૧૭ ની મૂલાકાત દરમ્યાન અમારા બઘાજ કુટુંબીજનોને કરમસદમાં એક્ઠા કરી આખી રાત જાગી ખૂબજ આનંદ કર્યો હતો એ જીવનભર યાદ રહેશે. બાળકો સાથે લગભગ ૨૦૦ કુટુંબીજનો હાજર રહ્યા હતા.

છેલ્લે ૨૦૧૯ ના જાન્યુઆરીમાં તેમની રૂબરૂ મૂલાકાત થઈ હતી. એમની ઘણી યાદો છે. તેઓએ પોતાના જીવનનો ભરપૂર આનંદ લીધો છે. મારાં શાંતાકાકી ના સહયોગથી ચાર બાળકોનો ઉછેર કરી સારું ભણતર આપી, પરણાવી ને ઠેકણે પાડ્યાં અને પોતાનાં પૌત્ર-પૌત્રી રમાડી સંતોષ મેળવી શક્યા.

એક શિક્ષક તરીકે તેમના જીવન દરમ્યાન કેટલાંય બાળકોનું ધડતર કર્યું છે અને વલાસણમાં ઘણા વરસો સેવા આપી આચાર્ય પદેથી નિવૃત થયા.

આજે એમની હયાતી નથી ત્યારે સન્માનપૂર્વક એમનું જીવનદર્શન કરીએ. આ સાથે એમના વિવિધ પિક્ચરનું આલ્બમ મારી સ્મરંણાજલી છે. પરમપિતા પરમેશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે અને બધાં કુટુંબીજનનો અને મિત્રોને સાંત્વન આપે એ જ પ્રાર્થના.

આ સાથે મારા પપ્પાની સ્મરંણાજલી પણ રજૂ કરું છું.

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં મારાં વહાલાં આપ્તજનો, સગાંસંબંધીઓ, શુભેચ્છકો, અતિમાનનીય આર્ચબિશપ ફા. થોમસ મેકવાન સાહેબ, માનનીય બિશપ સાહેબ ફા. રત્નાસ્વામિ, માનનીય સીસ્ટરો અને સેંટ જોસેફ કોલોની-કરમસદ અને કરમસદનાં સૌ ખ્રિસ્તી ભાઈબહેનો,

તારીખ ૨૫ એપ્રિલ, ૨૦૨૦ અમારા કુટંબ માટે દુ:ખદ દિવસ રહ્યો. મારા સૌથી નાના ભાઈ ઈગ્નાસભાઈ, ૭ ૭ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુના ધામમાં જવા આ દુનિયામાંથી કાયમી વિદાય થયા. દિલને ઘણો આઘાત લાગ્યો, પણ “હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું. જેને મારામાં શ્રદ્ધા છે, તેનું મૃત્યું થાય તો પણ તે જીવતો થશે; બલકે, મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યું નહિ પામે.” (યોહાન: ૨૫-૨૬). ઈગ્નાસભાઈ પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા રાખનારા એક ઈસુપંથી હતા, તેથી મૃત્યું બાદ પુનરૂત્થાનની પ્રભાતે મળશે જ, તેવી અમર આશા!

સ્વ. ઈગ્નાસભાઈ યુવાનવયથી જ ધાર્મિક ભાવના ધરાવતા હતા. યુવાનીમાં સમાજના વિકાસમાં સૌને સાથે રાખીને રચનાત્મક કાર્યો કરવાની યોજનાઓ ગોઠવતા હતા. ‘એક્શન ગ્રુપ’ નામની પાંચેક યુવાનોની પ્રવૃત્તિઓએ કરમસદ અને કરમસદ ચર્ચ સાથે સંકળાયેલાં ગામોમાં સમાજ જાગૃતિ જગાવી હતી. ક્રિસ્મસના ગરબાની તેઓની આગેવાની સૌને ગમતી. 

ઈગ્નાસભાઈ એક સારા ગાયક હતા અને તેઓને ભજનો ગાવાનો લગાવ હતો. ઢોલક અને હાર્મોનિયમ વગાડવાના તેઓના શોખથી તેઓ ચર્ચમાં ‘ક્વાયર’માં ભાગ લેતા હતા. આજીવન શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયેલા શિક્ષક તરીકે તેઓ વિદ્યાર્થીઓના માનીતા હતા. શાળાની સમૂહ પ્રાર્થાનામાં જાણે કે તેઓ મંદિરમાં થતી આરાધનાનો અવસર સર્જતા હતા. અને સવારની આ પ્રાર્થના જોવા-સાંભળવા ગામના વાલીઓ શાળાના રસ્તે ટોળે વળતા.                  

સ્વ. ઈગ્નાસભાઈની સાથેની ૨૦૧૬ અને ૨૦૧૭ ની મારી છેલ્લી ઈન્ડિયાની બે મુલાકાતો ઘણી જ યાદગાર રહી છે. એ મુલાકાતોમાં અમે પરસ્પર આત્મિયભાવે ઘણા નજીક આવ્યા હતા. પરસ્પર પ્રેમ અને આદરમાં અમે ઘણો આનંદ મેળવ્યો હતો. આ મુલાકાતોમાં મારાથી નાના અને ઈગ્નાસભાઈથી મોટા એવા જોનભાઈ (રમણભાઈ)ની સાથે અમે ત્રણેય ભાઈઓએ ઘણી મજા માણી હતી.

૨૦૧૪-૧૫ માં ‘સ્ટ્રોક’ના હળવા હુમલાને કારણે તેઓને ‘લકવા’ની અસર થઈ, તેની સામે ઝઝૂમીને અને પ્રભુની પ્રાર્થનામાં ઘણો બધો સમય ગાળીને આયુષ્યનાં વધુ પાંચ વરસો ઉમેરી શક્યા હતા. આ સમય દરમિયાન તેમનાં ધર્મપત્ની શાંતા, દીકરા વિપૂલ, પૌત્ર સ્મિત અને ખાસ તો પુત્રવધુ વર્ષાએ ઘણી જ સારસંભાળ લીધી હતી. ‘વ્હીલચેર’ના સહારે પુત્રવધૂ વર્ષાએ ઈગ્નાસભાઈને દેવળમાં લઈ જવા સહિત અન્ય જરૂરી જગ્યાએ જવા-આવવાની ઉમદા સેવા કરી હતી. આ કપરા સમય દરમ્યાન તેમનાં ધર્મપત્ની શાંતા સતત તેમની પડખે રહ્યાં હતાં અને તેઓની ત્રણેય દીકરીઓએ અવારનવાર તેમની મુલાકાત લઈ પિતાને પ્રેમભરી ફૂંફ આપી હતી. સામે જ રહેતા મોટાભાઈ જોનભાઈ અને તેમના બે દીકરાઓ-સમીર અને પ્રકાશ અને અન્ય પરિવારજનો સતત પડખે રહ્યા હતા.

ખાસ તો કરમસદસ્થિત સૌ સીસ્ટરોએ આપેલ ધાર્મિક માર્ગદર્શન અને આપેલ આધ્યાત્મિક શાંતિ અને ફૂંફ બદલ સૌનો હું આદરભાવે આભાર માનું છું. સેંટ જોસેફ ચર્ચ, કરમસદના સભાયાજ્ઞિક ફા. મારિ જોસેફ અન્ય ધર્મગુરૂઓએ સમયાંતરે ઈગ્નાસભાઈને પ્રભુના માર્ગે ટકી રહેવા આધ્યાત્મિક બળ પૂરું પાડ્યું હતું તે બદલ તે સૌનો દિલથી આભાર માનું છું! ફાધરો અને સીસ્ટરોના ધાર્મિક માર્ગદર્શન, કુટૂંબીઓની સારસંભાળ અને અન્ય જનોના સાથસહકાર અને જેનાથી આ બધું શક્ય થયું છે તેવા આપણા પરમ દયાળુ પિતા પરમેશ્વરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઘણો ઘણો આભાર!

દિલમાં ઘણી ઈચ્છા હતી પણ ઈગ્નાસભાઈના અંતિમ દિવસોમાં તેઓની પાસે રહી શક્યો નથી તેનું દુ:ખ છે. સ્વ. ઈગ્નાસભાઈ અને તેમનાં પરિવાર પ્રત્યે જાણ્યે અજાણ્યે થયેલી મારી ભૂલો માટે મને દરગુર્જર કરશોજી! જય પ્રભ! જય ઈસુ!

-સ્નેહભાવે આપનો જોસેફ પરમાર, તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૦.
Continue reading My uncle Mr. Ignasbhai Bedabhai Parmar passed away on April 25, 2020