“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું. જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
CNS Chirayu News Service-Nadiad
Hind TV News-Surat
Hind TV News-Bharuch
Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service
આજે world blind WALK ના પ્રસંગે મહાધર્માંધ્યક્ષ માન્યવર થોમસ મેકવાની આગેવાની હેઠળ શરૂ થયેલ પ્રોજેક્ટ વિઝન-૨૦૧૭ અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમવાર blind walk નું આયોજન કરાયું હતું.
નેત્ર દાન પ્રતિ જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયે શરૂ કરાયેલ આ રેલીને સવારે ૧૦ કલાકે ગાંધીગ્રામ રેલવેસ્ટેશને થી જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર શીતલ શાહે ઝંડી બતાવીને રવાના કરી હતી.
૧.૩ કિમી અંતરની મજલ કાપીને માઉન્ટ કર્મેલ સ્કૂલ પહોંચેલી આ રેલીમાં ઓક્સિજન ફિલ્મની સમગ્ર ટીમ તથા અમદાવાદના રેડીઓ મીરચીના રેડિયો જોકી દૃવિત પણ હાજર રહયા હતા.
આ પ્રસંગે સ્વામી આધ્યાત્મનંદ, મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન,સિસ્ટર લુસી,ફિલ્મી હસ્તી શીતલ શાહ તથા ભક્તિ કુમાવતે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શીતલ શાહ તથા ભક્તિ કુમાવત સેન્ટ ઝેવિયર્સ તથા માઉન્ટ કાર્મેલમાં ભણ્યા હોવાથી પોતાના જીવનના પ્રસંગોને વાગોળ્યા હતા.
સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુરના આચાર્ય તથા આજની રેલીના સર્વેસર્વા ફાધર ટાઇટ્સ દ્વારા નેત્ર દાન બાબતે ઉપસ્થિત મેદનીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
અંતે દુનિયામાં 100 વાર થી વધુ વખત રક્તદાન કરી ચૂકેલા ૧૦૨ જેટલા સેનચુરિયન રક્તદાતા ધારવવાનો વિશ્વ વિક્રમ જેને નામે છે તેવા અમદાવાદીઓએ પ્રસ્તુત રેલી પર સફળતાની મહોર મારી હતી.
– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “.
The below pictures are taken from Mr. Hasmukh Christian and Mr. Cyril Marin Macwan’s Facebook page.
“માતૃછાયા અનાથાશ્રમ” સંસ્થા નડિયાદમાં આવેલી છે. આ સંસ્થા કેથલિક ધર્મના “સિસ્ટર્સ ઓફ ચેરીટી ઓફ સેન્ટ આન” મંડળના સાધ્વીબેનો ચલાવે છે. જ્યાં ત્યજાએલા બાળકોને રહેઠાણ, ભોજન અને શિક્ષણ તેમજ જીવન જરુરીઆતો પૂરી પાડે છે. કેટલાંક બાળકો દત્તક લેવાતા હોય છે. આ સંસ્થાને દાન મળતું રહે એ આવશ્યક છે.