‘જનપથ’નું વાર્ષિક અધિવેશન – સપ્ટેમ્બર ૨૯ ૨૦૧૨

 ‘જનપથ’નું વાર્ષિક અધિવેશન    

 

‘જનપથ’ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટ વર્ક છે. તેની સાથે લગભગ ૨૦૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે. ૨૫ સાલ પહેલાં તેની સ્થાપના થઇ હતી. ફાધર વિલિયમ તેના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. ‘જનપથ’ ગ્રાસરૂટ પર કામ કરતી નાની નાની સંસ્થાઓ તથા કર્મશીલોને પ્રોત્સાહન તથા ટેકો આપી તેમને સબળ અને અસરકારક બનાવે છે તથા વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તા 29 સપ્ટેમબરે ગુજરાત વિદ્યાપીઠમાં  તેની વાર્ષિક સામાન્ય સભા યોજાયી હતી જેમાં અન્ય રાજ્યોમાંથી નિમંત્રિત કરેલા કર્માંશીલોએ માહિતી અધિકાર, અન્ન સુરક્ષા ધારો, જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર વિશેની તેમની કામગીરી, મુશ્કેલીઓ તથા વિવિધ અનુભવો વિષે રસપ્રદ માહિતી પીરસી સહુને પ્રોત્સાહિત કર્યા  હતા.

 

ભગવાન ઈસુએ માનવ્બંધુની જે સમજ   આપી છે તેને અપનાવી લઇને  ફાધર વિલિયમ જરૂરીયાત મંદો માટે કામ કરતા સહુની સાથે સહકાર આપે છે ને તેમની સંગાથે રહીને સેવા કરે છે. એટલે તો   તેઓ આ પ્રકારના નેટવર્કમાં જોડાયેલા છે ને બધે સ્વીકાર્ય બન્યા છે. તેમને પોતાના સાંપ્રદાયિક માળખામાં ભરાઈ રહીને કામ કરવું ગમતું નથી.પરંતુ ગરીબ-પીડિત-વંચિત માટે કામ કરતા શુભ ભાવનાવાળા સહુ કોઈની સાથે મળીને લોકસેવા કરવી  ગમે છે ને એવો અભિગમ તેમણે અપનાવ્યો છે. આપના સહુ કેથોલિક માતાવ લામ્બીઓ પણ એવો અભિગમ અપનાવે તો આપણને બીજાઓ તરફથી ઘણું માન મળશે એવું તેમનું માનવું છે કારણ એવો તેઓએ અનુભવ કર્યો છે.

Please Support Aimee and her cuase to support the Stanford Cancer Institute (SCI).

If you are unable to view the message below, click here to view this message on our website.
Canary header w/o cervelo
Dear Family and Friends,
On September 29, 2012, I will be participating in the Canary Challenge, a cycling event to benefit the Stanford Cancer Institute (SCI). Because I want to make a difference to the many family, friends, and colleagues in my life who have been touched by cancer, I have made a commitment to raise funds for the SCI.
The Canary Challenge is a great event and I will spend the day riding through the foothills of the Peninsula with other cyclists, including some pro riders. Riders can choose from a 100-km, 100-mi, 75-km, or 50-km. I know that I will feel like I’ve really accomplished my goals once I cross the finish line.
I will raise at least $400 in donations for the SCI. It’s always a big challenge to take on, but I’m very excited about doing it because I know it makes a real difference. The funds raised will help the Stanford Cancer Institute give patients every clinical and technological advantage in the early detection, prevention and treatment of cancer.
Please consider an investment in the fight against cancer and financially support the Stanford Cancer Institute. 100% of your donation benefits directly the SCI. You can make a donation online or by mail, using our downloadable form.
You can also help me in passing this message along to others who may be interested in being a part of the Canary Challenge.
I can’t do it without your help. I hope that I can count on your support. Thank you in advance.
Sincerely,
Aimee

If you no longer wish to receive email messages sent from your friends on behalf of this organization, please click here or paste this URL into your browser: http://ride.canarychallenge.com/site/TellFriendOpt?action=optout&toe=6f64a77fbdf252f8aca49cb7127ffd2395b8c515eb6b7923c157793613dbaef5
Powered By Convio

 

 

Aimee Jadav is a daughter-in-law of Mr. Peter Jadav (elder brother of Fr. Vinayak Jadav).

 

Aimee Jadav is a Physician Assistant , Bone Marrow Transplantation Department, StanfordMedicalSchool, San Francisco, CA. She is pregnant at this time still participated in this challange. Congratulations to Aimee and all other participants. Please support Aimee and her cause.

Aimee Jadav  

કરૂણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર – પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન

કરૂણા નિકેતન હાઇસ્કુલ, બાલાસિનોર

 

 

ફાધર તાઈતાસ ડીકોસ્તાના આચાર્યપદે ચાલતી બલાસીનોરસ્થિતકરૂણા નિકેતન હાઈસ્કુલ એક નમૂનેદાર શાળા છે. અહી માત્ર અક્ષરજ્ઞાન નહિ પરંતુ તેની સાથે સાથે છાત્રોનું જીવન ઘડતર  થાય છે. આ શુભ ધ્યેયને સતત લક્ષ્યમાં રાખીને તેને અનુરૂપ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી દેશ માટે આવતી કાલના દેશપ્રેમી અંને જવાબદાર તથા સામાજિક નિસબત હૈયે ધરાવતા નાગરીકો ઘડાય.  

 

 

શાળાના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક બધા જ કર્મચારીઓ આ બાબતે સભાન છે અંને સહકાર પૂર્વક કામ કરે છે. શાળામાં ચાલતી એન એસ એસ પ્રવૃતિઓ પણ આ ધ્યેયને વરેલી હોઈ કેવળ ચીલાચાલુ નહિ પણ અર્થપૂર્ણ  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તાજેતરમાં આ સંદર્ભે પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંચાલન રિશ્તા સંસ્થાએ સંભાળયુ હતું ને ૬૦ જેટલા છાત્રોને પ્રિન્ટ મીડીઅમાં પ્રવેશી સમાજની સુખાકારીની જવાબદારી ઉઠાવવા માટે પડકાર ફેંક્યો હતો.બધા તાલીમાર્થીઓએ એ પડકાર ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો.  

      

 

 

 

 

 

 

 

કરૂણા નિકેતન હાઇસ્કુલના આચાર્ય તથા સહુ કર્મચારીઓને આપણાં આભિનંદન તથા તેમના મિશનને સફળતા સાંપડે એ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ !

 

-ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયન (રિશ્તા)

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ – સેન્ટ પાદરે પીઓ – સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” યોજીત સફળ યાત્રા પ્રવાસ

સ્વૈચ્છિક સંસ્થા તરીકે “ગુ. કે. સ. ઓફ યુએસએ” વિવિધ કાર્યક્રમો યોજીને સમાજના સભ્યોને સહયોગી બનાવી સમાજની એકતાને મજબૂત બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા લોકપ્રિય યાત્રાધામની મુલાકાત લેવાનો કાર્યક્રમ બે મહિના અગાઉ સભ્યોના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો.
The National Center for Padre Pio, 111 Barto Road, Barto, PA 19504 એક પવિત્ર યાત્રાસ્થળ તરીકે ખૂબ જાણીતું છે. રોજ હજારો ખ્રિસ્તી યાત્રાળુઓ આ તીર્થધામની મુલાકાત લેતા હોય છે. સપ્ટેમ્બરની ૨૩, ૨૦૧૨ સંત પાદરે પીઓની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૨ને શનિવારના રોજ “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ” દ્વારા બાર્ટો, પેનસીલ્વાનિયા યાત્રાધામના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં સમાજનાં ૧૦ કુટુંબના કુલ મળીને ૨૫ જેટલા શ્રધ્ધાળુઓએ (બાળકો સહિત) અતિ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારના ૧૦:૩૦ થી ૧૧ વાગતા સુધીમાં ઉપર્યુક્ત સભ્યો પોતપોતાના વાહનો દ્વારા “સંત પાદરે પીઓનું રાષ્ટ્રીય કેન્દ્ર, ૧૧૧ બાર્ટો રોડ, બાર્ટો, પેનસીલ્વાનિયા ખાતે હાજર થઈ ગયા હતા. હવામાન ખૂબજ ખુશનુમા હતું. નહિ ગરમી કે નહિ વરસાદ! સંત પાદરે પીઓનું અમેરિકા ખાતેનું યાત્રાધામ, બાર્ટો, પેનસીલ્વાનિયામાં ન્યુ જર્સી-ન્યુયોર્કથી લગભગ ૧૦૦ માઈલ દૂર(દોઢ-બે કલાકના) અંતરે અતિ સુંદર સ્થળે આવેલું છે. દર વરસે સંતની પુણ્યતિથિના વીક એન્ડમાં સુંદર કાર્યક્રમો રાખવામાં આવે છે અને દૂર દૂરથી શ્રધ્ધાળુઓ પોતાના ખાનગી વાહન અથવા મોટી બસ ભરીને સંતના અવશેષોના દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવે છે.

 

શરૂઆતમાં શ્રી. શાંતિલાલ પરમારે બધાને સંત વિશેની માહિતી આપી હતી, જેવી કે તેમનો જન્મ, કાપુચીન સંઘમાં જોડાવું અને સંઘર્ષ, બંને હાથમાંથી લોહીની ટશરો ફૂટવી, સંઘમાંથી હકાલપટ્ટી, ફરીથી સંઘમાં સ્વીકારની શરતો, ૧૯૬૮મા મરણ અને ૨૦૦૨મા વડા ધર્મગુરુ જોન પાઉલ બીજા દ્વારા સંત થવાની જાહેરાત વગેરે. શ્રી કેતન ક્રિશ્ચિયને, શ્રીમતી કાલાન્દ્રા વિષે માહિતી આપી કે જેમણે આ કેન્દ્રની સ્થાપનામાં કેવો ભાવ ભજવ્યો અને સંતે તેમની દીકરીને સાજાપણું બક્ષ્યું તેનો ચિતાર આપ્યો. ધીમે ધીમે આગળ વધતા સહુ નાના ચેપલમાં ભક્તિભાવપૂર્વક દાખલ થયા અને અહીં સંતના મોટા કદના પૂતળાના દર્શન કર્યા અને પોતાની અરજો રજૂ કરી અને ત્યારબાદ સંતના મોજાને ભક્તિભાવપૂર્વક સ્પર્શ કરી અંગત પ્રાર્થના કરી. ત્યારબાદ આધ્યાત્મિક કેન્દ્રમાં ચાલતા ઉદબોધનમાં સહુ જોડાયા. અહીં ફાધર ડેવિડ વિલતોનનું સંબોધન ચાલતું જ હતું. ફાધરે તેમના બોધમાં દુનિયાનો ઉદ્ધાર દીનતા, દીનતા અને માત્ર દીનતાથી જ થાય તેની ઉપર ખાસ ભાર મૂક્યો. ત્યારબાદ સહુ આર્ક એન્જલ સંત માઈકલના સરઘસમાં જોડાયા. લગભગ ૫૦૦-૬૦૦ જેટલા જાત્રળુઓએ આ સરઘસમાં ભાગ લીધો કે જેમાં કેન્દ્રની બે-એક માઈલની પરિમિતીમાં ફરવાનું હતું. અનીતા ક્રિશ્ચિયને કીધું: “વડોદરાની નિરાધારોની માતાના સરઘસમાં ફરવાની યાદ આવી ગઈ”. સરઘસમાં યાત્રાળુઓની વિવિધતા હતી. કેટલાક ઇટાલિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન, વ્હાઈટ અમેરિકન, સ્પેનિશ અને ચીનના લોકો હાથમાં બેનરો લઈને ચાલતા હતા. અમે ગુ. કે. સમાજ ઓફ યુએસએના સભ્યોએ “એક કુટુંબ બનાવો સહુનું” ગીત સમૂહમાં ઉપાડ્યું અને સુંદર રીતે ગાયું. ત્યારબાદ ગુજરાતી/અંગ્રેજીમાં ગુલાબમાળાના દસકા બોલ્યા. સરઘસ પૂરું થતા બપોરનો એક વાગી ગયો. કકડીને ભૂખ લાગી હતી. જમવાની બેઠક વ્યવસ્થા કેન્દ્ર પર પિક્નિક ટેબલોથી સજ્જ મોટા ગઝીબો નીચે હતી. દરેક કુટુંબ ઘરેથી તૈયાર કરી લાવેલા વાનગીઓ: ભેળ, શાક-રોટલી, પૂરી-શાક, ઢેબરાં દહીં, મરચાંનું આચાર અને ફ્રાઈડ ચિકન, ફળફળાદિ વગેરે વિવિધ વાનગીઓને એકબીજા સાથે વહેંચીને સમૂહજમણની મજા માણી તૃપ્ત થયા.

ત્યારબાદ કેન્દ્ર પર આવેલા સંતનું ‘સ્મારકગૃહ’ ની મુલાકાત લેવા ગયા. જ્યાં સંતના જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રાનો આખો ઇતિહાસ આપેલો છે. તેઓ કેવી રીતે રહેતા, જે વસ્તુઓ દૈનિક જીવનમાં અને ધાર્મિક જીવનમાં વાપરતા, કઈ કાર વાપરતા તે આ સંગ્રહસ્થાનમાં છે. ઊડીને આંખે વળગે તેવું સંતના હાથોમાંથી જે લોહીની ટશરો ફૂટતી અને તેને જે રૂમાલથી લૂછતાં તે લોહીના ડાઘા સાથે સાચવેલ છે. સંતે પહેરેલાં ઝભ્ભા અને અન્ય વસ્ત્રો તથા રોજબરોજ વપરાશમાં લેવાતી વસ્તુઓ છે. સંત ઘોષિત કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થતી કેવી ચમત્કારિક નિશાનીઓ થઈ તે દર્શાવતી ૧૭ મિનિટની ફિલ્મ સહુએ નિહાળી. છેલ્લે ગિફ્ટ શોપમાંથી યાદગીરીરૂપે રોઝરી, ફ્રીઝ મેગ્નેટ, છબીઓ, કી-ચેન, પૂતળા વગેરીની ખરીદી કરી બહાર નીકળ્યા.

 

કેન્દ્રની બહાર સંતના મોટા પુતળા આગળ ફોટો ફંક્શન કરી છેલ્લે એકબીજાનો આભાર માની છુટા પડતા શ્રી કેતન ક્રિશ્ચિયન બોલ્યા: “હવેથી આજ અમારું ખંભોળજ હશે! આપણે સહુ ખૂબજ નસીબદાર છીએ કે આપણને આવા દર્શન કરવાનો અવસર મળે છે!” સવારના ૧૧થી સાંજના ૪:૩૦ સુધી પવિત્ર યાત્રાધામની સંગતમાં શાંતિ અને શ્રધ્ધાનો અનુભવ થયો. સમાજના પ્રમુખશ્રી શાંતિલાલ પરમારના યાત્રા-પ્રવાસ આયોજનને સૌએ બિરદાવ્યું. દર વર્ષે સપ્ટેમ્બરના ‘ત્રીજા વીકએન્ડ’ સમાજના ઉપક્રમે આ યાત્રાધામનો પ્રવાસ યોજવાની સૌએ સંમતિ દર્શાવી. બધાંને હેમખેમ લાવેલા એ જ રીતે પાછાં હેમ-ખેમ ઘરે પહોંચાડે એવી પ્રભુ-પ્રાર્થના સાથે બધાંએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
હે સંત પાદરે પીઓ, અમારા માટે વિનંતી કરો!

 

આ યાત્રા-પ્રવાસમાં નીચેના શ્રધ્ધાળુ સભ્યો જોડાયા હતા:
(૧) શ્રી જોસેફ પરમાર (૧)
(૨) શ્રી જગદીશ ક્રિશ્ચિયન (૧)
(૩) શ્રી શાંતિલાલ પરમાર (૩)
(૪) શ્રી રાજ મેકવાન (૪)
(૫) શ્રી અમિત મેકવાન (૪)
(૬) શ્રી કેતન ક્રિશ્ચિયન (૪)
(૭) શ્રીમતી મીના ક્રિશ્ચિયન (૩)
(૮) શ્રી જીગર રાઠોડ (૨)
(૯) શ્રી જેમ્સ જાખરિયા (૧)
(૧૦) શ્રીમતી કોકિલા પટેલિયા (૨)

 

હેવાલ સંકલન જગદીશ ક્રિશ્ચિયન –માહિતી સૌજન્ય: શ્રી. જોસેફ પરમાર અને શાંતિલાલ પરમાર,
ચિત્રો-કેમેરા: જગદીશ અને કેતન ક્રિશ્ચિયન તથા રજની અને અમિત મેકવાન. September 25, 2012
પાછાં ફરતી વખતે અમે એક ખેતર (ફાર્મ) માં આંટો મારવા ગયા હતા. અને ૧૯૨૦થી ચાલતી ડેરીના હોમમેડ આઈસ્ક્રીમની મઝા માંણ્યા વગર ના રહી ના શક્યા. જુઓ…………