ફાધર વિનાયક જાદવ એસ.જે. તેમના પી.એચ.ડી. ના અભ્યાસ અર્થે અત્યારે અમેરિકાની ટૂંકી મુલાકાતે આવેલા છે. તેઓ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે સમય કાઢી, તકલીફ લઈને અહીં અને કેનેડામાં રહેતા ગુજરાતી કેથોલિક પરિવારોની અવશ્ય મુલાકાત લેતા જ હોય છે. મે મહિનાની ૨૬ તારીખે તેઓ ન્યુ જર્સીની મુલાકાતે આવનાર છે. ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ ના ઉપક્રમે તેમને મળવાનો એક કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન ફાધર વિનાયક ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરશે. ત્યાર પછી સ્નેહ-મિલન સમારંભ યોજવામાં આવશે. સ્થળ અને સમયની ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે.
ન્યુ જર્સી આવતાં પહેલાં ફાધર કેનેડામાં વસતા ગુજરાતી કેથોલિક પરિવારોની મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત દરમ્યાન થનારા કાર્યક્રમની આગ્નેસ તરફથી મળેલી માહિતી નીચે આપી છે.
One thought on “ફાધર વિનાયક જાદવ અમેરિકા-કેનેડાની ટૂંકી મુલાકાતે – ન્યુ જર્સી અને ટોરોન્ટોમાં સ્નેહ-મિલન સમારંભ.”
Thank You Very Much.