પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) નો સેમિનાર યોજાયો.

 

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફેકટરીઓ તથા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો ને મજૂરોનાં સ્વાસ્થ્યના હક્કો તથા સલામતી માટે કામ કરે છે. તેના પ્રણેતા શ્રી જગદીશ પટેલ છે. ખંભાત શહેરમાં અકીકના ઉદ્યોગમાં કામ કરતા ગરીબ મજૂરોને સીલીકોસ નામનો મટી શકે તેવો રોગ થાય છે ને ઘણાખરા મજૂરો માત્ર ૪૦ વર્ષની વયે મૃત્યુને ભેટતા હોય છે. આવા ગરીબ કામદારોના પરિવારોને માલિકો તરફથી પૂરતું રક્ષણ મળે ને તેમને વિમાનો લાભ મળે માટે જગદીશભાઈ ઘણી મહેનત કરે છે. આવી ગરીબો ને શ્રમજીવીઓની સેવામાં ખંભાતમાં રહેતા શૈલેશ અભીધેય કે જે પત્રકાર છે તે જગદીશભાઈને ઘણા મદદરૂપ બને છે. તા ૨૦ ઓક્ટોબરના રોજ ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં એક સેમિનારનું આયોજન કરીને ઉપરોક્ત બંને ભાઈઓએ અક્કિક ઉદ્યોગમાં રોકાયેલ કામદારોની દયાજનક પરિસ્થિતિ વિષે વિગતે સહુને માહિતી આપી હતી અને તેમના હક્કોના અને સ્વાસ્થ્યના રક્ષણ માટે કેવા કાયમી ઉકેલ લઇ શકાય એના સૂચનો માગ્યા હતાં.ફાધર વિલિયમ જગદીશભાઈના સેવાની ઘણી કદર કરીને તેમને વરસોથી સાથ સહકાર આપે છે ને સેમિનારમાં તેમને આમંત્રણ હોઈ ઉપસ્થિત રહ્યા હતા અને જારૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

 

ફાધર વિલિયમ

2 thoughts on “પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) નો સેમિનાર યોજાયો.”

  1. This is wonderful work carried by peoples training institute, in khambhat area there is also social and health problem with salt workers at work side. so mainstream society should do little focus on them too. Many congratulation to jagdishbhai and fr.william for doing such action for agate workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.